સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

નર્મદા કિનારે ભરૂચના ઝાડેશ્વર ગાયત્રી મંદિરે કાલથી ધર્મોત્સવ

ભાવનગર તા. ૪ : મા નર્મદા તટ ભરૂચના ઝાડેશ્વર ખાતે વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠમાં પુરૂષોતમ અધિક જેઠ કથા તેમજ મહાવિષ્ણુયાગ તા. પ થી ૧૩ સુધી આયોજન થયેલ છે.

આશ્રમના સંસ્થાપક મહામંડેશ્વર પૂ.સ્વામી અલખગીરીજી મહારાજ બીરાજી૩૦ અધ્યાર્યોનું રસપાન કરાવશે કથા સમય બપોરના ર-૩૦ થી સાંજે ૬-૩૦ સુધી રખાયો છે 

તા.૧૩ જુન સવારે ૧૦ થી સાંજે પ-૩૦ સુધી મહાવિષ્ણુયાગ થશે સર્વો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થાનો લાભ લેવા કથા સંચાલક માતા શિવાનંદગીરી સત્યાનંદગીરીએ જણાવ્યું છે વધુ માહીતી માટે મો. ૯૪ર૭૧  ૧૦૯૦૩ નો ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.(૬.૧ર)

 

(11:58 am IST)