સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

ઝઘડિયાના ગોવાલીના ગૂમ યુવાનની ત્રણ દિવસ બાદ કૃષ્ણપરીના કુવામાંથી લાશ મળી

ઝધડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતો વીસ વર્ષીય યુવાન છેલ્લા ત્રણ દિવસથી પોતાના ગામથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. જે બાબતે ઝધડિયા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આજે ત્રણ દિવસ બાદ કષ્નપરી ગામે મદિર નજીક આવેલા એક કુવા માંથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે રાજપારડી પોલીસ મથકે મૃતદેહનો કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(7:46 pm IST)