News of Tuesday, 4th May 2021
મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્મશાનને 10 હજાર છાણાનું દાન
મોરબી : હાલ મોરબીમાં કોરોના મહામારીના લીધે કપરી પરિસ્થિતિ ચાલી રહી છે. તેમાં દવા, ઓક્સિજન, બેડની જરૂરિયાત સાથે અધૂરામાં પૂરું સ્મશાનોમાં પણ મૃતદેહોની લાઈનો લાગી રહી છે. તેવામાં બળતણ તરીકે છાણા અને લાકડાનો પ્રબંધ પણ જટિલ પ્રશ્ન બની રહ્યો છે.
આવા સંકટ સમયે મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા પાંજરાપોળ વીસીપરા સ્મશાનમાં 10,000 છાણાનું દાન આપી સમાજને ઉપયોગી બનવાનો પ્રયત્ન કરેલ હતો. આ પ્રસંગે કલબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ રંજનાબેન સારડા તથા પુનિતાબેન હાજર રહેલ હતા.
(7:18 pm IST)