સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

આજે સાંજે વિજયભાઈ રૂપાણી રિલાયન્સ કોવિડ હોસ્પિટલ- જામનગરનું ગાંધીનગરથી ઈ-ઉદઘાટન કરશે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર  : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે સાંજે ૫.૧૫ કલાકે જામનગર ખાતેની  રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવશે.

આ પ્રસંગે જામનગર ખાતે કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ, રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જામનગરના મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, રીલાયન્સ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

(2:51 pm IST)