સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

શનીવારથી શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂ. મોરારીબાપુની શ્રોતાઓ વગર ઓનલાઇન શ્રીરામકથા

રાજકોટ તા. ૪ : સોમનાથ મહાદેવના સાનિધ્યમા તા. ૮ ને શનીવારથી પૂ. મોરારીબાપુના વ્યસાસને ઓનલાઇન શ્રીરામકથાનું આયોજન કરાયુ  છે.

પૂ. મોરારીબાપુ કોરોના મહામારીમાં શ્રોતાઓ વગર ઓનલાઇન શ્રીરામકથાનું રસપાન કરાવશે જેનું લાઇવ પ્રસારણ પૂ. મોરારીબાપુની યુ-ટયુબ ચેનલ અને આસ્થા ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરાશ.ે

પૂ. મોરારીબાપુની ૮પ૯ મી કથાનું તા.૮ ને શનીવારે સાંજે ૪ થી ૭ અને તા. ૯ થી ૧૬ મે સુધી દરરોજ સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી આયોજન કરાયું છે.

કોઇપણ ભાવિકોને શ્રીરામકથાનું રસપાન કરવા રૂબરૂ ન આવવા  પૂ. મોરારીબાપુએ અપીલ કરી છે.

(11:59 am IST)