સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th May 2020

વાંકાનેરના સરતાનપર નજીક મજુર પરિવારને સહાય

વાંકાનેર : પરપ્રાંત રામનગરના મજુરો કામ અર્થે  વાંકાનેર ના માટેલ રોડ ઉપરના સરતાનગામ નજીકના કારખાનામાં કામ અર્થે આવેલ અને અહીં મકાન ભાડે રાખી ૨૭ લોકોના  પરિવારો રહેતા હતા લોકડાઉન પગલે કારખાના બંધ થઇ જતા આ મજુર પરિવારો કામ વિહોણા થઇ ગયા હતા હવે તો રાશન પણ ખુટી પડતા તેમણે પોતાના વતન રામનગરના વિધાયકનો ફોન નંબર મેળવી તેને ફોન કરી રાશનની વ્યવસ્થા કરી આપવા માંગણી કરતા.  રાજકીય અગ્રણીઓની ચેનલ થી તેઓ એ ગુજરાતના પુર્વ મંત્રી ગોરધનભાઇ ઝડકીયાને વાત કરી તેના દ્વારા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી હીરેન પારેખને આ મજુર પરિવાર માટે રાશનની વ્યવસ્થા કરવા જણાવતા આ ગામ વાંકાનેર તાલુકાનું હોય તેઓએ પ્રાંત અધિકારી એન.એફ. વસાવા ને જાણ કરતા જ એક જ કલાકમાં આ મજુર પરિવારોને રાશન કીટ અને જ્યાં રહેતા હતા ત્યાં ત્રણ મહીનાનું ભાડુ પણ માફ કરાવી સરાહનીય કામગીરી કરી હતી. (તસ્વીર-અહેવાલ : નિલેષ ચંદારાણા, વાંકાનેર)

(11:58 am IST)