સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th April 2020

સૌરાષ્ટ્ર કચ્છમાં રૂક્ષ્મણી વિવાહની સાદાઇથી ઉજવણીઃ દ્વારકામાં ઠાકોરજી અને રૂક્ષ્મણીજીને શણગાર

દ્વારકા તા.૪: આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં  રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ સાદાઇથી ઉજવાય રહ્યો છે.  કોરોના વાયરસના કારણે લોકડાઉન હોવાથી જુદા જુદા  ધાર્મિક સ્થળોએ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ સાદાઇથી ઉજવાયો હતો. 

દર વર્ષે રૂક્ષ્મણી વિવાહા પ્રસંગે જુદા જુદા વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળોમાં રૂક્ષ્મણીજી  અને ઠાકોરજીના લગ્ન કરવામાં આવે છે.  પરંતુ આ વખતે ધામધુમથી થતા આયોજનો રદ કરવામાં આવ્યા છે.

દ્વારકા ખાતે  દ્વારકાધીશ ભગવાનના  સાંનિધ્યમાં ઠાકોરજી અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગ ઉજવાયો હતો. માત્ર પુજારી પરિવારે આ વિધી સંપન્ન કરી હતી. ઠાકોરજી અને  રૂક્ષ્મણીજીને શણગાર  કરવામાં આવ્યો હતો.

(1:03 pm IST)