સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

ભાવનગર સહકારી હાર મધ્‍યસ્‍થ ભંડારના કર્મચારીએ પાઠયપુસ્‍તક મંડળ સાથે ચેક જમા ન કરાવી ઠગાઇ આચરી

ભાવનગર સહકારી હાટ મધ્‍યસ્‍થ ભંડાર લી.ના અગાઉના ગુજરાત પાઠયપુસ્‍તક માંથી મંગાવાયેલ પુસ્‍તકોના રૂા.અઢી લાખ કરતા વધુ રકમનો ચેક પાઠયપુસ્‍તકના મંડળમાં જમા નહી કરાવી પોતાના અંગત ખાતામા ચેક જમા કરાવી સંસ્‍થા સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ભાવનગર સહકારી હાટ મધ્‍યસ્‍થ ભંડાર લી.માં એડમીનીસ્‍ટ્રેટ ઓફીસર તરીકે અગાઉ નોકરી કરતા જવાહર પ્રભુભાઈ શાષાી (રહે.અક્ષરકુટીર, બ્‍લોક નં.૧, પારસમણી ફ્‌લેટ, હોમ સ્‍કુલ પાછળ, તખ્‍તેશ્વર પ્‍લોટ, ભાવનગર)એ સહકારી હાટમાં પુસ્‍તકોના વેચાણ માટે તા.૧/૫/૨૦૧૮ થી ૩૦/૧૧/૨૦૧૮ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્‍ય પાઠ્‍ય પુસ્‍તક મંડળ પાસેથી રૂા.૨,૫૬,૦૦૦ના પુસ્‍તકોની ખરીદી કરેલ જેના નાણા ચુકવવા માટે એચ.ડી.એફ.સી. બેંક દ્વારા ચુકવવાના હતા જે અંગેનો એક ચેક તેમણે લઈ લીધો હતો. જે ચેક પાઠ્‍યપુસ્‍તક મંડળમાં જમા કરાવવાને બદલે તેના નાણા પોતાના દેના બેંકના તખ્‍તેશ્વર શાખામાં જમા કરાવી દીધા હતા.  સંસ્‍થા સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરીયાદ મધુભાઈ વ્‍યાસ (રહે.ભરતનગર, બ્‍લોક નં.૬/એ, શિવનગર સોસાયટી)એ નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

(12:05 pm IST)