News of Thursday, 4th March 2021
યાત્રાધામ પાવગઢમાં રોપવેની સુવિધા છ દિ' બંધ રહેશે મેઇન્ટેનન્સને કારણે સોમથી શનિવાર રોપવે બંધ રખાશે
તા, 8 થી 13 સુધી માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓએ પગપાળા જવું પડશે.
યાત્રાધામ પાવગઢમાં રોપવેની સુવિધા બંધ કરવામાં આવશે. મેઈન્ટેનન્સના કારણે 8 માર્ચથી 13 માર્ચ સુધી રોપવેની સુવિધા બંધ રાખવામાં આવશે. માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓએ પગપાળા જવું પડશે. જો કોઈ દર્શનાર્થી ચાલીને ઉપર જઈ શકે તેમ ન હોય અથવા દિવ્યાંગ હોય તો 8 માર્ચથી 13 માર્ચ સુધી પાવાગઢ જવાનો કોઈ પ્લાન ન બનાવતા કારણ કે આ દિવસો દરમિયાન રોપવેની સુવિધા બંધ છે
(11:59 am IST)