દેવભૂમી દ્વારકા વિહિપના અધ્યક્ષપદે ઇશ્વરભાઇ ઝાંખરીયાની વરણી
મીઠાપુર : દેવભૂમી દ્વારકા જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષસ્થાને પવિત્ર યાત્રાધામ ખાતે કાર્યરત શિવગંગા ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી એવા ઇશ્વરભાઇ ઝાંખરીયાની નિમણુંક કરાઇ છે. ઇશ્વરભાઇ શહેરની અનેકવિધ સંસ્થાઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે તથા સામાજિકક્ષેત્રે, શૈક્ષણિક તેમજ આરોગ્યક્ષેત્રે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહે છે. વિશ્વહિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજવામાં આવી હતી કે જેમા વિશ્વ હિન્દુ પરિષદના અનેક હોદ્દેદારોની ઉપસ્થિતિ રહી હતી અને તેમા ઇશ્વરભાઇ ઝાંખરીયાને દેવભૂમી દ્વારકા જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષપદે નીમવામાં આવ્યા હતા. આ વરણીથી સ્થાનિક રઘુવંશી સમાજ તથા વેપારીઓએ વધાવી લીધી હતી તે તસ્વીર.(તસ્વીર : દિવ્યેશ જટાણીયા, મીઠાપુર)