News of Thursday, 4th March 2021
રાજયના પુર્વ મંત્રી વસુબેન ત્રિવેદી સહીત પરીવારને કોરોના
તમામને જામનગરની કોવીડ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૪ : જામનગરના પુર્વ રાજય મંત્રી અને મહિલા અગ્રણી વસુબેન ત્રિવેદી સહીત પરીવારજનોને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે.
પ્રા માહીતી મુજબ રાજયના પુર્વ મંત્રી અને જામનગરના ભાજપના વરીષ્ઠ મહિલા અગ્રણી વસુબેન ત્રિવેદીના આખા પરીવારને કોરોના પોઝીટીવ આવ્યો છે. જેમાં પરીવારના ૪ સભ્યો નરેન્દ્રભાઇ ત્રિવેદી, દક્ષભાઇ ત્રિવેદી અને અમીબેન ત્રિવેદીનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા તમામને જામનગરની કોવીડ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
(10:43 am IST)