મોરબીસિંચાઇ કૌભાંડમાં મંડળીના આગેવાનનો હાઇકોર્ટ દ્વારા જામીન મંજુર
મોરબી, તા.૪: મોરબી જીલ્લામાં ચકચારી સિંચાઈ કોભાંડમાં ઝડપાયેલ હળવદના ધારાસભ્ય સહિતના આરોપીઓ જેલમાં બંધ છે જેમાં મંડળી આગેવાન દ્વારા આજે હાઈકોર્ટમાં કરવામાં આવેલી જામીન અરજી હાઈકોર્ટે સ્વીકારી આરોપીના જામીન મંજુર કર્યા છે.
હળવદ સિંચાઈ કોભાંડમાં આરોપી નિવૃત કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, રાજકોટના રહેવાસી ચૈતન્ય જયંતિલાલ પંડયા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ રાઠોડ અને ગણપતભાઈ રાઠોડ એમ ચારને ઝડપી લીધા બાદ હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયાએ તેના વકીલ ભરત ગણેશીયા મારફત લાખોની લાંચ લીધી હોવાના ખુલાસાને પગલે પોલીસે ધારાસભ્ય અને વકીલની અટકાયત કરી હતી જે તમામ આરોપી જેલમાં બંધ છે ત્યારે સહકારી મંડળીના આગેવાન ગણપતભાઈ રાઠોડે આજે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી અને હાઈકોર્ટમાંથી તેને રાહત મળી છે અને જામીન પર છુટકારો કરવામાં આવ્યો છે.(૨૨.૪)