હળવદના મયુરનગર ગામે બે ગૌવંશ પર હુમલોઃ લોકોમાં ભારે રોષ
હળવદ, તા.૪: તાલુકામાં છેલ્લા એક મહિનાથી વિવિધ ગામોમાં ગૌવશ પર હુમલાઓ કરી ઈજાઓ પહોંચાડી દેવાની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે આજે સવારે હળવદ તાલુકાના મયુરનગર ગમે ૨ ગૌવંશ પર કોઈ અસામાજિક તત્વોએ ધારદાર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે એ વાતની જાણ ગૌસેવકો ને થતા તાત્કાલિક પશુ ડોકટર ને બોલાવી અને સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે મોરબી શ્રી યદુનંદન ગૌશાળા એ રીફર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
ત્યારે હળવદ તાલુકામાં છાસવારે ગૌમાતા અને ગૌવંશ પર થતા હુમલાઓ થી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે ત્યારે હળવદ પી.આઈ ને જાણ કરતા બીટ જમાદાર હરેશભાઇ ચાવડા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છેઙ્ગ આ મામલે પોલીસ રસ લઈને આરોપીને પકડી કાયદાનું ભાન કરાવે તેવી લોકો અને જીવદયા પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.(૨૩.૪)