સોમનાથ મહાદેવ મંદિર હવે સુવાસિત સુગંધથી મહેકશે
માખી, મચ્છર સામે આરોગ્ય રક્ષક સુરક્ષા કવચ તરીકે સ્પ્રેનો છંટકાવ કરવા નિર્ણય
પ્રભાસ પાટણ તા.૪: વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર રાષ્ટ્ર આઇકોન બન્યા બાદ સ્વચ્છતા અંગેના વિવિધ ઉપકરણોમાં નવા ભાથાઓ ઉમેરાઇ રહ્યાં છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સોમનાથ ખાતે એક સ્પ્રેયરની નિમણૂંક કરવામાં આવી છે. બચુ મંગા બામણીયા તેઓ દરરોજ બે વખત સોમનાથ મહાદેવ મંદિર, ટ્રસ્ટ હસ્તકના પ્રભાસના મંદિરો, અતિથી ગુહો, બાથરૂમો-યુરિનલો તેમજ મંદિર આસપાસના વિસ્તારોમાં રોગ વાહક માખી, મચ્છર અને અન્ય જંતુઓ દેશ-વિદેશના યાત્રિકોને આરોગ્ય સુરક્ષા રક્ષણ મળે તે માટે જંતુનાશક દ્વાવણોનો સ્પ્રે કરતા રહે છે.
આ સ્પ્રેનું વિશેષ આકર્ષણ એ છે કે દવાના મિશ્રણ સાથે સુગંધ દ્રવ્ય પણ નાખવામાં આવે છે જેથી દવા છંટાયેલ મંદિર સુગંધથી ભરપુર મહેકથી મધમધતું રહી યાત્રિકો દર્શનાર્થીઓને આહલાદક સુવાસિત અનુભૂતિ થાય છે.
૧૬ લીટરની ટાંકી સ્પ્રે પંપ સાથે કરાતા આ છંટકાવમાં બાયો કલીન કમ્પોસ્ટ મચ્છર સામે, બાયો આર્ક માખી સામે, બાયોકલીન ૭૦૨ યુરીનલ માટે તેમજ કલીન મસ્ક ગટરના સ્થળોએ આ તમામ બાયો સેનીટેશન ઓડોર મટીરીયલ દવાઓમાં પાણી સાથે મન-તન તરબર કરે તેવી સુગંધિત પરફયુમનો ઉમેરોકરી મંદિર અને આસપાસ તથા અતિથીગૃહો-ભોજનાલયો પાસે દવાઓનો છંટકાવ કરાય છે.
દરરોજ ૧૫ લીટરથી પણ વધુ દવાઓ સ્પ્રે કરાય છે. જેની કોઇ આડઅસર પણ થતી નથી. સ્વચ્છતા-યાત્રિકો દર્શનાર્થીઓના આરોગ્યપ્રદ સુરક્ષા જાળવણી માટે અભિનવ આવો પ્રયાસ સરાહનીય છે.
સોમનાથ મંદિર પ્રથમથીજ વાતાનુકુલિત છે તેમાં હવે સુગંધિત સ્પ્રે છંટકાવ ભાવિકોને ભાવ વિશ્વમાં ગરકાવ કરે છે.
ચંદન અને ગુલાબનો સ્પ્રે દિવસભર વારંવાર થતો રહે તેવી લોકલાગણી છે.(૧.૨)