સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th February 2019

કોડીનાર પોલીસ સ્ટેશનના ર કર્મીઓની બદલી : વિદાય સમારોહ યોજાયો

કોડીનાર, તા. ૪ : પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ર પોલીસ કર્મીઓની બદલી થતા બન્ને કર્મચારીઓનું સન્માન અને તેમનો વિદાય સમારોહ પોલીસ સ્ટેશનમાં યોજાયો હતો.

પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ રહેવરે તેમની ૩૪ વર્ષની પોલીસની કારકીર્દીમાં જૂનાગઢ, વેરાવળ, માંગરોળ, સુત્રાપાડા, મેંદરડા વગેરે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી આ દરમિયાન તેમણે જૂનાગઢ ચકચારી ચાંદની મર્ડર કેસ, બોરદેવી સાધુ મર્ડર કેસ અને કોડીનારમાં વિમાનશી મર્ડર કેસ સહિતના અનેક કેસો ની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નરેન્દ્રસિંહ રહેવરની તેમના વતન સાબરકાંઠામાં બદલી થઇ છે. પોલીસ તરીકે પહેલુ પોસ્ટીંગ કોડીનારમાં મેળવનાર રામભાઇ લખમણભાઇ ચોપડાની બદલી સોમનાથ મરીનમાં થતાં કોડીનારના પી.આઇ. જે.બી. ચાવડા, પીએસઆઇ હેરમા, કે.વી. પરમાર, મહિલા પીએસઆઇ માળી, બારીયા અને પોલીસ સ્ટાફે બન્ને કર્મચારીને ફૂલહાર કરી શુભેચ્છા પાઠવી હતી. (૮.૪)

 

(9:37 am IST)