સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

કોટડા સાંગાણીના ભાડવા ગામે બિમારીથી કંટાળી ભરવાડ વૃધ્ધનો આપઘાત

માનસીક બિમારીથી પીડાતા કરણાભાઇએ ફાંસો ખાઇ મોત મીઠું કર્યું

રાજકોટ તા. ૪: કોટડા સાંગાણીના ભાડવા ગામમાં રહેતા ભરવાડ વૃધ્ધે માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોટડા સાંગાણીના ભાડવા ગામમાં રહેતા કરણભાઇ માલાભાઇ ભરવાડ (ઉ.વ. ૬૦) એ ગઇકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જાણ થતાં કોટડા સાંગાણી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ભરવાડ વૃધ્ધે માનસીક બીમારીથી કંટાળી પગલું ભર્યાનું ખુલ્યું હતું.

(11:16 am IST)