શાપર-વેરાવળમાં વાહન હડફેટે માણાવદરના કિશન અઘેરાનું મોત
અકસ્માત બાદ પોલીસે વાહન ચાલકનો પીછો કરી ઝડપી લીધો
રાજકોટ તા. ૪ : શાપર - વેરાવળ પાસે અકસ્માતમાં માણાવદરના યુવાનનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં કલ્પવનના ગેઇટ પાસે સર્વિસ રોડ પર ઉભા રહેલ કિશનભાઇ વિઠ્ઠલભાઇ અઘેરા (ઉ.વ.૩૦)ને ટાટા કંપનીના ફોર વ્હીલ વાહનનો ચાલકે હડફેટે લેતા કિશનભાઇને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ બાદ વાહન ચાલક નાસી છુટયો હતો. જોકે બાદમાં શાપર - વેરાવળ પોલીસે વાહન ચાલકનો પીછો કરી ઝડપી લીધો હતો. બનાવની જાણ થતાં શાપર-વેરાવળનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પી.એમ. માટે હોસ્પિટલમાં ખસેડેલ હતી. બનાવ અંગે કેતન બાબુભાઇ વાછાણી રે. વાડાસડા, તા. માણાવદરને વાહનચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન કલ્પવન સોસાયટીની ઓફિસમાં કામ કરતો હતો.