News of Wednesday, 3rd January 2018
જસદણ આનંદનગરમાં રોડ ખોદયા બાદ મેટલીંગ કામ ન કરાતા વાહનચાલકો-રાહદારીઓ હેરાન
જસદણ, તા. ૩ :. આનંદનગરમાં પાલિકાની ઘોર બેદરકારી ને કારણે અહીંનો મુખ્ય રસ્તો એક મહિનાથી ખોદયો છે. જેમાં મેટલીંગ કરવામાં ન આવ્યુ હોવાથી વાહનચાલકો, રાહદારીઓને ચાલવામાં નાકે દમ આવી જાય છે.
છેલ્લા ૩૦ વર્ષથી આ વિસ્તારનો જોઈએ તેટલો વિકાસ થયો નથી. સૌથી વધુ વેરો આ લોકો ચુકવતા હોવા છતા પાલિકા તંત્ર સતત ઠાગાઠૈયા કરતા હોવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે. નવા ડેપો પાછળ લક્ષ્મણવાડી વાળો મેઈન રોડ એક મહિનાથી ખોદીને કોન્ટ્રાકટર ગાયબ થઈ ગયાનું ચર્ચાય છે.
જો વહેલી તકે આ રોડનું કામ શરૂ કરવામાં નહી આવે તો આંદોલનના મંડાણ કરવાનું અને ચૂંટણીમાં જોઈ લેવાનું લતાવાસીઓએ જણાવ્યુ છે.
(9:56 am IST)