ભાવનગરના ગોહિલ યુવાને ફાંસો ખાધો
પત્નિ સાથે છુટાછેડા થયેલ છેઃ એકનો એક પુત્ર
ભાવનગર તા.૩ : ભાવનગર શહેરમાં કોમ્પલેક્ષના ૪ થા માળે જઇ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.
વિગતો મુજબ શહેરમાં તળાજા રોડ ખોડીયારનગર વિસ્તારમાં રહેતા ભાવીનભાઇ ડાયાભાઇ ગોહિલ ઉ.૩૬ એ શહેરના કાળીયાબીડ વિસ્તારમાં મઢુલી પાસેના ત્રિમૂતિબાલાજી નામના કોમ્પલેક્ષના ૪થા માળે જઇ કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી આ અંગે એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
મૃતક યુવાન તથા પિતાનો એકનો એક પુત્ર તેમજ પરણીત હોવાનું અને તેના પત્ની સાથે છુટાછેડા થઇ ચુકયા હોવાનું અને મૃતકને એક સંતાન પણ હોવાનું જાણવા મળેલ છે મૃતક યુવાન કડીયાકામ કરતો હતો.
શોક લાગતા યુવાનનું મોત
લાકડીયા પુલ નજીક ખાર વિસ્તારમાં જીવંત તારને અડી જતા કાળાતળાવ ગામે રહેતા મહેશભાઇ મુળજીભાઇ પરમાર ઉ.ર૪ નામના યુવાનનું ઇલેકટ્રીક શોક લાગતા મોત નિપજયું હતું.