ભાવનગર માં ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
જિલ્લામા નોંધાયેલા ૫,૨૮૦ કેસ પૈકી હાલ ૭૩ દર્દીઓ સારવાર હેઠળ
ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૨૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૮૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પીપળી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે ૧ તથા ગારીયાધાર તાલુકાના શિવેન્દ્રનગર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
ભાવનગર મહાનગરપાલિકાના ૧૪ તેમજ તાલુકાઓના ૪ એમ કુલ ૧૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૫,૨૮૦ કેસ પૈકી હાલ ૭૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૧૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે