સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 10 કેસ,વિસાવદરમાં 4 કેસ, કેશોદ અને ભેસાણમાં 3-3- કેસ, માણાવદર,માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે,

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 23 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 10 કેસ,વિસાવદરમાં 4 કેસ, કેશોદ અને ભેસાણમાં 3-3- કેસ, માણાવદર,માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:08 pm IST)