સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

પોરબંદર જિલ્લામાં કોરાનાના નવા ૧ર કેસ

કોરાનાની સારવારમાં અન્ય ૧ર દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર,ભ તા. ૩ : જિલ્લામાં કોરાના પોઝીટીવના નવા ૧ર કેસ આવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૮૬૭ પહોંચી છે.

જિલ્લામાં કોરાના પોઝીટીવના નવા ૧ર કેસ રોકડીયા હનુમાન વિસ્તાર, ઠક્કર પ્લોટ, બોખીરા, કમલાબાગ, વાડી પ્લોટ, રામધુન મંદિર વિસ્તાર, જલારામ કોલોની તથા છાંયા વિસ્તારમાંથી આવ્યા છે.

જિલ્લામાં કોરાનાની સારવાર દરમિયાન અન્ય ૧ર દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ ૭૯૧ દર્દીઓ સાજા થયેલ છે. સીવિલ હોસ્પિટલમાં હાલ કોરાનાના ૧૮ દર્દીઓ સારવાર લઇ રહેલ છે. જિલ્લામાં ૩ વ્યકિતઓ હોમ આઇસોલેશનમાં છે.

(12:49 pm IST)