News of Thursday, 3rd December 2020
દ્વારકા જિલ્લામાં ૬ પોઝીટીવ ૧૩ ડિસ્ચાર્જ
બીન કોવીડનાં એકનું મુત્યુઃ કુલ ૭૧ મોત
ખંભાળિયા તા.૩ : દ્વારકા જિલ્લામાં ગઇકાલે સમગ્ર જિલ્લામાં કોરોના પોઝીટીવ છ કેસ નવા નોંધાયા છે. જેમાં ભાણવડમાં બે, ખંભાળિયામાં ત્રણ અને કલ્યાણપુરમાં એક કેસ નોંધાયો છે. જયારે દ્વારકામાં એક પણ નવો કેસ નોંધાયો નથી.
જયારે દ્વારકા જિલ્લામાં ગઇકાલે એક સાથે ૧૩ દર્દી એક સાથે થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. જેમાં ભાણવડમાંથી ત્રણ, દ્વારકામાં સાત, કલ્યાણપુરનો એક તથા ખંભાળિયાના બે મળી કુલ ૧૩ વ્યકિત સાજા થતાં ડિસ્ચાર્જ થયા છે.
બીન કોવીડમાં એક વધુ દર્દીનું મૃત્યુ થતાં નોન કોવીડ મોત ૬ર અને કોવીડ મોત ૯ મળી ૭૧ના મોત કુલ થયા છે.
(12:49 pm IST)