ટંકારાઃ ધુનડા સજ્જનપરમાં પાટડીયા પરિવારો વચ્ચે મારામારીઃ પાંચને ઇજા
રાજકોટ તા. ૩: ટંકારાના સજ્જનપર ધુનડામાં પાટડીયા પરિવારના લોકો વચ્ચે મારામારી થતાં પાંચને ઇજા થતાં રાજકોટમાં સારવાર લીધી હતી.
ધુનડા સજ્જનપરમાં રહેતાં જીતેન્દ્રભાઇ ગણેશભાઇ પાટડીયા (ઉ.વ.૩૩), મુકેશભાઇ ગણેશભાઇ પાટડીયા (ઉ.વ.૩૦) અને તેમના પિતા ગણેશભાઇ ગોવિંદભાઇ પાટડીયા (ઉ.વ.૬૦) રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર રાતે ઘર નજીક રહેતાં વિનુભાઇ, મેરૂભાઇ સહિતે પાઇપથી હુમલો કર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.
સામા પક્ષે મેરૂ વિનોદભાઇ પાટડીયા (ઉ.વ.૨૧) અને તેના બહેન જ્યોત્સનાબેન ખોડાભાઇ જાસલીયા (ઉ.વ.૨૭) પણ પોતાના પર જીતુભાઇ, ગણેશભાઇ સહિતે ધોકાથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જુના મનદુઃખમાં માથાકુટ થયાની વાતે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.