સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

વડિયા મામલતદારને ખેડૂતો દ્વારા આવેદન પત્ર

વડિયા :ખેડૂત કાયદાનો સમગ્ર દેશમાં ખેડૂતોની ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તેને વડીયા કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિ અને તાલુકાના ખેડૂતોનો ટેકો આપેલ છે અને દેશની ભાજપ સરકાર દ્વારા પ્રસારિત કરેલા કાયદો પાછો ખેંચી લેવા અલ્ટીમેટમ આપેલ છે અને હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન ને વડીયા કુકાવાવ વિસ્તારના ખેડૂત આગેવાનો ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા , દિલીપભાઈ શિંગાળા શહેર કોંગ્રેસ પ્રમુખ ,રાજેશભાઈ ભેસાણીયા ખેડૂત આગેવાન ,સત્યમ ભાઈ મકાણી ખેડૂત આગેવાન, જસમતભાઈ વદ્યાસિયા ખડખડ, વિનુભાઈ હનુમાન ખીજડીયા, પ્રમોદભાઈ ગઢીયા, વિનુભાઈ રાંક, રામજીભાઈ પડાયા, વિનોદભાઈ પડાયા, અમરુભાઈ ગળ દ્રારા વડીયા મામલદાર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યુ. તે તસ્વીર.(તસ્વીર :જીતેશગીરી ગોસાઈ વડિયા)

(11:28 am IST)