News of Thursday, 3rd December 2020
અભયભાઇની વિદાય અસહ્ય, ખોટ અકલ્પનીય : મોહનભાઇ
રાજકોટ : ભાજપના સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયાએ રાજ્યસભાના સભ્ય શ્રી અભયભાઇ ભારદ્વાજના અવાસન અંગે શોકની લાગણી વ્યકત કરી જણાવ્યું છે કે સ્વ. અભયભાઇ મારા મજબુત સાથી હતા. તેઓ બાહોશ એડવોકેટ હોવા ઉપરાંત દીર્દ્ય દ્રષ્ટિવાળા નેતા હતા. સાંસદ તરીકે તેઓ વિકાસના અઢળક કામો કરાવવા ઇચ્છતા હતા. તેમની ચિરવિદાયથી જાહેર જીવનને કદી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. અભયભાઇ હંમેશા યાદ રહેશે.
(11:25 am IST)