સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

માલેતુજારો અને નેતાઓને કોરોના નય નડતો હોય : જામ ખંભાળિયામાં ઉદ્યોગપતિને ત્યાં રિસેપ્શનમાં માનવ મેળો

ગીતા રબારીના તાલ પર લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિય ભંગ કરી ગરબે રમ્યા

જામખંભાળીયા:ઉદ્યોગપતિ અને સાંસદોને કોરોના ન નડતો હોય તેમ પ્રસંગોમાં માનવ મહેર કરી રહ્યા છે. જામ ખંભાળિયાના મોવાણા ગામે રહેતા ઉદ્યોગપતિ ભીખુભ ગોજીયાના નિવાસસ્થાને યોજાયેલા રિસેપ્શનમાં માનવ મેળાઓ જામ્યો હ તો. સિંગર ગીતા રબારી પણ માસ્ક વગર દેખાય હતા. હજુ કાંતિ ગામિતને ત્યાં પ્રસંગમાં હજારો લોકો ભેગાં થયાનો મામલે શાંત થયો નથી ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના મોવાણ ગામે એક ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે ઉદ્યોગપતિના પુત્ર લગ્ન સમારોહમાં જામનગરના સાંસદ પણ હાજર રહ્યાં હતા.

ગીતા રબારીના તાલ પર લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિય ભંગ કરી ગરબે રમ્યા હતા. તો હવે સરકાર આ લોકોને ગાઈડલાઇનનું પાલન કરવા માટે કેવા પગલાં લેશે તેવો સવાલ લોકોના મનમાં થઇ રહ્યા છે.

(11:54 pm IST)