News of Tuesday, 3rd December 2019
અરબ સાગરમાં લો પ્રેસર : પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદરે એક નંબરનું સિગ્નલ લગાવાયું
જિલ્લાની 700 બોટો દરિયામાં : તા,7મી સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
અમરેલી : અરબ સાગરમાં ઉદભવેલ લો પ્રેશરને કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબર નું સિગ્નલ લગાવાયું છે અને તારીખ 3 થી લઈ 7 સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે હાલ અમરેલી જિલ્લા ની કુલ 700 જેટલી બોટો દરિયામાં છે
ચાર તારીખ બાદ વરસાદ ની આગાહી પણ મોસમ વિભાગ દ્વારા અપાઈ છે
(6:31 pm IST)