સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

પોરબંદર એલસીબીના એએસઆઇ મેરખીભાઇને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત

પોરબંદરતા.૩:પોરબંદર તાલુકાના મૂળ નવાગામ રાજપર ગામના અને હાલ પોરબંદર જિલ્લામાં એલ.સી.બી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસમાં એ.એસ.આઇ મેરખી ભાઈ જેસાભાઈ આગ ઠને રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજય પોલીસ દળમાં વિશિષ્ટ ફરજ બજાવનાર પોલીસ અધિકારીગણ તેમજ કર્મચારીઓને મહામહિમ રાષ્ટ્રપતિ તરફથી રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરેલ હતા. જે અંતર્ગત રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવાના સમારોહ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન સેન્ટરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના વરદ હસ્તે રાષ્ટ્રપતિચંદ્ર અર્પણ કરવાનો સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ જવાનોને બિરદાવવા અને તેમનો હોંસલો વધારવા સન્માન સમારોહમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહજી જાડેજા, અધિક ગૃહ સચિવ સંગીતા સિંહા, ડી.જી. પી  શિવાનંદ ઝા, રાજયના પોલીસ વડા સહિતના, તેમજ ગણમાન્ય મહાનુભાવો અને પોલીસ અધિકારીએ અધિકારીગણ તેમજ રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત કરનાર પરિવારજનોની ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાય ગયો હતો.મેરખીભાઇને મહેર સમાજનું ગૌરવ વધાર્યું છે.

(1:47 pm IST)