ગોંડલના દેરડીકુંભાજી પાસે પુલ સાથે બાઇક અથડાતા રાજકોટના નિલેશ વાગડીયાનુ મોત
મુળ ઉના પંથકનો નિલેશ બહેનના લગ્ન કરી પરત ફરતો'તોને કાળ ભેટી ગયોઃ અરેરાટી
ગોંડલ તા. ૩: ગોંડલના દેરડીકુંભાજી પાસે પુલ સાથે બાઇક ભટકાતા રાજકોટના યુવાનનુ મોત નીપજ્યુ હતુ. મૃતક યુવાન બંહેન લગ્ન કરી ઉનાની રાજકોટ પરત ફરતો હતો. ત્યારે જ રસ્તામાં કાળ ભેટી જતા અરેરાટી વ્યપી ગઇ છે.
ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) પાસે ધરાળાના પાટીયા નજીક બાઈક ચાલકે કાબૂ ગુમાવતાં બાઈક ઝાડ સાથે અથડાયું હતુ.આ બનાવમાં અજાણ્યા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.પોલીસ તપાસમાં મૃતક યુવાન મૂળ ઉનાનો અને રાજકોટ બાલાજી હોલ પાસે રહેતો નિલેશ અશોકભાઈ વાગડીયા ઉ.વ.૨૮ હોવાની વિગતો જાણવા મળી હતી.મળતક યુવક પોતાની બહેનના લગ્ન કરીને પરત બાઈક પર રાજકોટ જતો હતો અને તે વેળાએ જ રસ્તામાં કાળ ભેટી ગયો હોત.
બનાવની જાણ થતા તાલુકા પોલીસનો કાફલો દોડી ગયો હતો.