મોરબી પાણી પુરવઠા બોર્ડના નિવૃત અધિકારી ડી.જી સાદરીયાનો નિવૃત વિદાય સમારોહ યોજાયો
મોરબી,તા.૩:ગુજરાત પાણી પુરવઠા બોર્ડ મોરબીમાં ફરજ બજાવતા ડી જી સાદરીયા વય મર્યાદાને કારણે નિવૃત થતા જલસેવા પરિવાર મોરબી તરફથી તેમને શુભેચ્છા પાઠવવા કાર્યપાલક ઈજનેર શશીભાઇ વાદ્યેલાના અધ્યક્ષસ્થાને વિદાય સમારોહ યોજાયો હતો જેમાં નાયબ કાર્યપાલક ઈજનેર જાડેજા દ્વારા તેમને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તેમજ જલસેવા પરિવાર તરફથી મોમેન્ટો અર્પણ કરાયો હતો
નાયબ કાર્યપાલક ઈજનેર એન એમ પંડ્યાએ જણાવ્યું હતું કે ડી જી સાદરીયાની મોરબીમાં ૩૬ વર્ષની સેવામાં મો.માં. જો. જૂથ પા પુ યોજનામાં પાણી પુરવઠો પૂરો પાડવાની કામગીરીમાં સતત ચોવીસ કલાક હાજર રહીને કાર્ય કર્યું છે ગમેં તેવા ચેલેન્જના કાર્યો તેઓએ કોઠાસુઝથી પાર પાડ્યા છે જેની ખોટ વિભાગને રહેશે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ઢેઢીએ જણાવ્યું હતું કે તેમની કામગીરી ઈમરજન્સી કામમાં હુકમના એક્કા સમાન હતી પા.પુ. બોર્ડમાંથી આપણો એક હીરો જાય છે ના.કા.ઈ રાઠોડે જણાવ્યું હતું કે દરેક ગામને નિયમિત પાણી પુરવઠો આપવા માટે ખંતથી મહેનત કરવી તેમનો સ્વભાવ છે ના.કા.ઈ. ખ્યાતીબેન હરણીયાએ જણાવ્યું હતું કે તેમની કામગીરી ની સ્ટાઈલ એક આગવી ઢબની છે ફટાફટ નિકાલ કરવાની તેમની કાર્ય પદ્ઘતિ ઉમદા રહી છે જલસેવા પરિવારના અધિકારીઓ, કર્મચારીઓએ તેમની લાગણી વ્યકત કરી આભાર વિધિ મેદ્યા શાહ દ્વારા કરાઈ હતી.