સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

વિંછીયા તાલુકાના શિક્ષકો દ્વારા પડતર પ્રશ્ને આવેદન પાઠવ્યુ

વિંછીયા તા. ૩ :.. વિંછીયા તાલુકાના શિક્ષકોના વિવિધ પ્રશ્નો અને પડતર માગણી અંગે સરકાર ને સંબોધીને વિંછીયા તલુકા મામલતદારને આવેદન અપાયુ હતું.

આવેદન પત્રમાં રજૂઆતમાં સરકારી સ્કુલોમાં મર્જ બંધ કરવા, શિક્ષકોને શિક્ષણને બદલે ચૂંટણી કાર્યમાં વધારે જવાબદારી સોંપવામાં આવે છે તે બંધ કરવા, શિક્ષકોને પેન્શન આપવા, સહિતના વિવિધ મુદે રજૂઆત કરાઇ હતી. રજૂઆત - આવેદન આપવા વિંછીયા તાલુકાભરના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

(10:34 am IST)