પોરબંદર સાંદીપનિ હરિમંદિરે પૂ.ભાઇશ્રીના સાનિધ્યમાં ત્રિ-દિવસીય દિપાવલી પર્વ ધર્મોત્સવઃ વિવિધ કાર્યક્રમો
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩: પોરબંદર સાંદીપની શ્રી હરિમંદિર ખાતે પૂ.ભાઇશ્રીના સાનિધ્યમાં આજથી દિપાવલી પર્વ ત્રિદિવસીય ધર્મોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે.
સાંદીપની શ્રી હરિમંદિર ખાતે પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં દિપોત્સવી પર્વ નિમિતે ત્રિદિવસીય ધર્મોત્સવમાં આજે રૂપચતુર્દશી નિમીતે ભૈરવજીનો અભિષેક કરાયો હતો. તેમજ ભૈરવજીનુ પુજન યજ્ઞ ભૈરવજીના મંદિરેે યોજાયો હતો અને હરિમંદિર ખાતે રાજભોગ આરતી હનુમાનજી પુજા દિપદાન શયનઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ આવતીકાલે ગુરૂવારના રોજ દિપાવલીના પાવન પર્વે સવારે ૭.૩૦ થી મંગલા આરતી રાજભોગ આરતી અને ૧૧ થી ૧ર ચોપડા પુજન સહસ્ત્ર કમલ અર્ચન શયન આરતી ઠાકુરજી સન્મુખ દિપાવલી આતશબાજી સાંજે ૭.૩૦ કલાકથી કરાશે. તેમજ તા.પને શુક્રવારે નુતનવર્ષ નિમિતે સવારે ૭.૩૦ મંગલા આરતી કિર્તીમંદિર દર્શન અન્નકુટ દર્શન ગૌ શાળામાં ગૌ પુજન અને સવારે ૧૧ થી ૧ર શ્રી હરિમંદિર બગીચામાં સ્નેહમિલન ત્યારબાદ અન્નકુટ આરતી અને બપોરે ૧ર.૩૦ કલાકે પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા નુતન વર્ષની શુભેચ્છા સંદેશ આપશે અને સાંજે પ.૩૦ થી ૬.૩૦ કલાકે ઓડીટોરીયમ ખાતે હનુમાન ચાલીસા પાઠ અને ઓનલાઇન સ્નેહમિલન અને ૭ વાગ્યે શયન આરતી સાથે આ ધર્મોત્સવની પુર્ણાહુતિ થશે.