અમરેલીની બજારમાં ખરીદી માટે લોકો ઉમટ્યા
અમરેલીઃ શહેરમાં દિવાળી આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં લોકો દ્વારા દિવાળીની ખરીદી માટેની સાંજનાં ભારે ભીડ જામી છે. આજે ધનતેરસ બપોર બાદ હોવાથી સોનાની દુકાનોમાં પણ સોના ચાંદીના દાગીનાઓ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે બજારોમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ કરીયાણા, ફ્રુટ તેમજ બુટ, ચંપલ, રેડીમેન્ટ ગારમેન્ટ, કાપડીયાઓ, મહિલાઓ માટે કટલેરી, હોઝીયરી, રંગોળી માટેના કલર તેમજ ફટાકટા સહિત બજારોમાં આજે ખરીદી જોવા મળી હતી. સવારથી બપોર સુધી ગ્રામીણ વિસ્તારનાં લોકો દ્વારા ખરીદી માટે બજારોમાં જોવા મળ્યા હતા. કરીયાણા એસો.ના ચતુરભાઇ પટેલનાં જણાવ્યા મુજબ લોકો હોંશે હોશે દિવાળીના તહેવારો ઉજવશે. તેમ જણાવ્યું હતું. દિવાળી આડે હવે આવતીકાલે એક દિવસ બાકી હોવાથી બજારોમાં કાલે પણ ખરીદી નિકળશે. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ -અમરેલી)