જમનાવડના પુનાભાઇ રેણુકાનું અવશાન થતા માનવ સેવા યુવક મંડળ ધોરાજીને ૬૭ મું ચક્ષુદાન મળ્યું
ધોરાજીઃ તાલુકાના જમનાવડ ગામના પુનાભાઇ ખીમજીભાઇ રેણુકાનું અવશાન થતા તેમના સ્વજનોએ માનવ સેવા યુવક મંડળને સ્વ.પુનાભાઇ રેણુકાના ચક્ષુદાન અંગે જાણ કરતા ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે ડો. જયેશ વેસેટીયનની દેખરેખ હેઠળ ડો. પાર્થ મેઘનાથી અને ડો .રાજ બેરા અને મેડીકલ ટીમના નીતીન સાગઠીયા, ડો. કોમલબેન, રોહીત સોંદરવા ગીતાબેન બોરીચા અને રાકેશભાઇ પરમાર સહીતની ટીમ દ્વારા ચક્ષુદાન કરેલ અને સ્વના ચક્ષુઓ તેમના સ્વજનો દ્વારા માનવ સેવા યુવક મંડળને સોપતા રાજકોટ ખાતે આવેલ જી.ટી.શેઠ હોસ્પીટલ ખાતે મોકલાયા હતા આ તકે ખીમજીભાઇ રેણુકા, ભગવાનજીભાઇ રેણુકા, રાજરત્નભાઇ વાઢેર, દેવશીભાઇ મુછડીયા, નરેશભાઇ રાઠોડ, ભાવેશભાઇ મકવાણા સહીતના હાજર રહેલ અને આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ સ્વના પરીવારની સેવાઓને બીરદાવીને સ્વને શ્રદ્ધાં સુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળને ૬૭ મું ચક્ષુદાન મળે છે.