વાઘગઢમાં ગાંધી જયંતીની ઉજવણી
ટંકારાઃ મોરબી જિલ્લા અધિક કલેકટર જાડેજા જિલ્લા વિકાસ અધિકારી ખટાણા ટંકારા તાલુકા વિકાસ અધિકારી તરખાલા તથા અધિકારીઓએ ગાંધીજીની ૧પ૦ મી જન્મ જયંતિની ઉજવણી ટંકારા તાલુકાના વાઘગઢના ગ્રામજનો સાથે કરી હતી અધિક કલેકટર શ્રી જાડેજા, ડી.ડી.ઓ ખટાણા વાઘગઢ ગામમાં ફરી વડીલો બહેનો સાથે મળી તેઓને સ્વચ્છતા એજ સેવાનો સંદેશ આપેલ ગ્રામજનો સાથે અધિકારીઓ સફાઇ કામગીરીમાં જોડાયેલ. તલાટી કમ મંત્રી શિતલબેન નિમાવતે વાઘગઢ ગામ વિષે માહીતી આપેલ.ગ્રામજનો દ્વારા કરાયેલ વૃક્ષારોપણ પાણી સંગ્રહ માટે બનાવેલ ચેક ડેમો તેમજ પ્રા.શાળાના વિકાસ માટે ગ્રામજનોએ આપેલ યોગદાનની માહીતી આપેલ છે.ડી.ડી.ઓ. ખટાણા ધો. ૪ થી ૭ ના વિદ્યાર્થીઓના કલાસ લીધેલ બાળકો સાથે વાતચીત કરેલ અને પૂ. ગાંધીજી વિષે માહીતી આપેલ આચાર્ય તથા સ્ટાફની કામગીરીને બિરદાવેલ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની મુશ્કેલી પ્રશ્નો સાંભળી યોગ્ય કરવા જણાવેલ.