જસદણ પાલિકા દ્વારા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા રેલી યોજાઇ
આટકોટ, તા. ૩: જસદણ પાલિકા દ્વારા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા એજ સેવા, પ્લાસ્ટિક મુકત ભારત, સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેવા સૂત્રો લખેલા બેનરો સાથે રેલી શહેરના રાજ માર્ગો ઉપર ફરી હતી.
પાલિકા પ્રમુખ જીજ્ઞેશ હિરપરા, ઉપપ્રમુખના પ્રતિનિધિ પંકજ ચાંવ, કારોબારી ચેરમેન ભાવેશ વધાસીયા, સોનલબેન વસાણી, અલ્પેશ રૂપારેલીયા, મેહુલભાઇ કુંભાણી, ડો. કમલેશભાઇ હિરપરા, શહેર ભાજપ મહામંત્રી બી.બી.સી., પૂર્વ પ્રમુખ ભરતભાઇ છાયાણી, જસદણ મામલતદાર વી.એલ. ધાનાણી, તાલુકા વિકાસ અધિકારી ગોહિલ, પાલિકાના હેડ કલાર્ક સંજયભાઇ ડાભી, અશોકભાઇ મહેતા સહિત રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતાં.
આ ઉપરાંત સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ તકે તમામ આગેવાનોને મહાત્મા ગાંધીજીના માર્ગે ચાલવાના શપથ લેવડાવવામાં આવ્યા હતાં. જસદણ પાલિકા દ્વારા મહેમાનોને કપડાની બેગ આપવામાં આવી હતી.