News of Wednesday, 3rd October 2018
બસ કાયમી અનિયમિત મુદ્દે વિદ્યાર્થીઓ-પાસના આગેવાનોએ કર્યો મોરબી ડેપો મેનેજરને ઘેરાવ
મોરબી કીડી, કુંભારીયા, ઘાટીલા વચ્ચે દોડતી બસ કાયમ અનિયમિત રીતે ચાલવા ઉપરાંત અનેક વખત આ રૂટને કેન્સલ કરી નાખવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને પાસ આગેવાનો દ્વારા મોરબી એસટી ડેપોમેનેજરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓ સમસ્યાના ઉકેલ માટે મૌન ધારણ કરી કાર્યાલયમાં બેસી જતાં એસટી વિભાગે તાકીદે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી લેતા મામલો થાળે પડ્યો હતો.
(11:05 pm IST)