કોટડાસાંગાણીના રામોદમાં રાહુલ રાઠોડનો સળગી આપઘાત
કોટડાસાંગાણી, તા. ૩ :. કોટડાસાંગાણીના રામોદમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર જાત જલાવી આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે દલીતવાસમાં રહેતો અને મજુરી કામ કરતો રાહુલ પ્રવીણભાઈ રાઠોડ (ઉ.વ.૨૨) નામના યુવાન પોતાના ઘરે હોય તે દરમિયાન સાંજે કોઈ અગમ્ય કારણોસર ઘરના રૂમમાં જઈ બારણુ બંધ કરી કેરોસીન છાંટીને જાત જલાવી લેતા લોકોના ટોળા એકત્ર થયા હતા. રૂમમાં ધુમાડાના ગોટા નીકળતા પરિવારજનોએ રૂમનો દરવાજો તોડી નાખી તેમને બચાવવા પ્રયાસો કર્યા હતા પરંતુ તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. યુવાન પુત્રએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસને જાણ થતા પી.એસ.આઈ. કે.બી. સાંખલા, હેડ કોન્સ. અશોકભાઈ ઝીબ્બા સહિતનો સ્ટાફ રામોદ પહોંચી કાર્યવાહી કરી મૃતકની બોડીને પી.એમ. અર્થે કોટડાસાંગાણી ખસેડી તપાસ હાથ ધરી હતી.