News of Monday, 3rd September 2018
અમરેલીના લાઠી પંથકમાં વરસાદી માહોલ જામ્યો
અમરેલીના લાઠી સહિતના આસપાસના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી થયેલ વરસાદના આગમનથી વિસ્તારો પાણીથી તરબતર થઇ ગયા હતાં. લોકોને બફારા અને ગરમીથી છુટકારો મળ્યો હતો. તહેવારના દિવસે વરસાદથી ખેડૂતો આનંદિત થયા હતા પરંતુ બાળકોમાં થોડી નિરાશા વ્યાપી ગઇ હતી. બાળકોની નિરાશાનું કારણ વરસાદને કારણે જનમાષ્ટમીના મેળામાં વિધ્ન પડે તેમ છે.
(12:26 pm IST)