સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd September 2018

જામનગરમાં બંગલાના ચોકીદારની હત્યા લૂંટના ઇરાદે થયાનું પ્રાથમિક તારણ

જામનગરના ખાંભળીયા ગેટ વિસ્તારમાં એક હત્યાથી ચકચાર મચી જવા પામી હતી. એક બંગલાના ચોકીદારની હત્યાએ અનેક સવાલો ઉભા કર્યા છે. પોલિસના પ્રાથમિક તારણ પ્રમાણે ચોકીદારની હત્યા લૂંટના ઇરાદે કરાઇ છે. બંગલાના માલિક પણ મુંબઇ રહેતા હોવાની માહિતી પોલિસને મળી છે. પોલિસે લાશને પોસ્ટ માર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

(6:36 pm IST)