નિરોણા ગામે ગટરના ઊંડા ખાડામાં ૩ મજુરો દટાયા-૧ નું મોત
ભુજ, તા.૩: ભુજ અને નખત્રાણા બન્ને તાલુકાને જોડતા નિરોણા ગામે ગટરના કામ દરમ્યાન માટી ધસી પડતા ૩ મજૂરો ઊંડા કરાયેલા ગટરના ખાડા માં દટાઈ ગયા હતા. જોકે, ગ્રામજનો મહા મહેનતે ત્રણે ત્રણ મજૂરોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. સમયસર મદદ મળી જતા દટાયેલા ત્રણેય મજૂરોનો બચાવ થયો હતો. જોકે, માટીમાં દટાયા હોઈ નાની મોટી ઇજા પહોંચી હોઈ તેમને સારવાર માટે ખસેડાયા હતા. ઈરફાન મામદ મોગલ(ઉ૧૯), ઇબ્રાહિમ મામદ કુંભાર (ઉ ૩૫) અને અબ્દુલ સુલેમાન કુંભાર (ઉ૧૭) ઇજાગ્રસ્ત થયા હતા. નિરોણા ગ્રામ પંચાયત દ્વારા ચાલતાગટર યોજના ના કામ દરમ્યાન ઊંડો ખાડો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એકાએક માટી ધસાઈ પડતા ત્રણે મજૂરો ખાડામાં ધસાઈને દટાઈ ગયા હતા. આ ગટર કામનો કોન્ટ્રાકટ ઇજાગ્રસ્ત થયેલા ઇબ્રાહિમ મામદ કુંભારે રાખ્યો હતો.દરમ્યાન ઇજાગ્રસ્ત મજૂરો પૈકી સગીર વયના અબ્દુલ સુલેમાન કુંભાર ઉ.૧૭ નું ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.(૨૨.૬)