News of Wednesday, 3rd July 2019
ભગવાનેશ્વર મહાદેવ મંદિરે જગન્નાથજી, બલરામજી સુભદ્રાજીની નેત્રવિધી
ભાવનગર તા.૩: અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના સુભાષનગરમાં આવેલ ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાનની નેત્રવિધી કરવામાં આવી હતી.
ભગવાનેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, બલારામજી અને સુભદ્રાજીને નેત્રવિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અષાઢી બીજના દિવસે ભગવાન શણગાર સજીને નગરયાત્રાએ નીકળશે. નગરયાત્રાએ નીકળનાર જગતના નાથના દર્શન માટે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(11:49 am IST)