સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd June 2021

મોરબી તાલુકામાં માત્ર ૦૧ કેસ, અન્ય ચાર તાલુકામાં કોરોના કેસ શૂન્ય: જીલ્લામાં ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી જીલ્લામાં કોરોના કેસો નામ માત્ર રહી ગયા છે આજે મોરબી તાલુકામાં કોરોનાનો માત્ર ૦૧ કેસ નોંધાયો છે તો અન્ય ચાર તાલુકામાં રાહત જોવા મળી છે તો જીલ્લામાં ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજે મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે જયારે જીલ્લાના વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં એકપણ નવો કેસ નોંધાયો નથી જીલ્લામાં ૧૫ દર્દી સ્વસ્થ થયા છે એક્ટીવ કેસનો આંક ઘટીને ૬૧ થયો છે

(11:33 pm IST)