News of Wednesday, 3rd June 2020
કચ્છમાં કોરોનાથી ૫ મું મોત- માંડવીના રત્નાપર ગામના પટેલ વૃદ્ધનો ભોગ લેવાયો
(ભુજ) કોરોનાએ કચ્છમાં સતત બીજે દિ' પણ એક ભોગ લીધો છે. આજે બપોરે માંડવીના રત્નાપર ગામના ૬૨ વર્ષીય પટેલ વૃદ્ધનું કોરોનાથી મોત નીપજ્યું હોવાનું ડીડીઓ પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું છે. ખીમજીભાઈ નાકરાણી નામના આ વૃદ્ધની તબિયત ઘણા દિવસથી ક્રિટિકલ હતી. તેમને ડાયાબીટીસ અને શ્વાસની બીમારી હતી. ગઈકાલે ગાંધીધામના વૃદ્ધના મોત બાદ આજે વધુ એક મોતને પગલે કચ્છમાં કોરોનાનો મૃત્યુ આંક ૫ થયો છે.
(2:57 pm IST)