સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 9 લોકોનો કોરોનાએ જીવ લીધો : નવા 280 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 255 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 148 કેસ ,જૂનાગઢ તાલુકામાં 11 કેસ, માંગરોળમાં 31 કેસ,માળીયામાં 21 કેસ, વિસાવદરમાં 16 કેસ, કેશોદ અને માણાવદરમાં 14-14 4 કેસ, વંથલીમાં 10 કેસ, મેંદરડામાં 8 કેસ, ભેસાણમાં 7 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે વધુ 9 લોકોના મોત થયા છે આજે કોરોનાના નવા 280 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 255 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 280  પોઝિટિવ કેસમાં  જૂનાગઢ સિટીમાં 148 કેસ ,જૂનાગઢ તાલુકામાં 11 કેસ, માંગરોળમાં 31 કેસ,માળીયામાં 21 કેસ, વિસાવદરમાં 16 કેસ, કેશોદ અને માણાવદરમાં 14-14 4 કેસ, વંથલીમાં 10 કેસ, મેંદરડામાં 8 કેસ, ભેસાણમાં 7 કેસ નોંધાયા  છે

(9:05 pm IST)