સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

જામનગરમાં કોરોનાની એવરેજ ૭૦૦ ઉપર કેસ નોંધાતા ચિંતા ઘેરી : ૧૪ના સત્તાવાર કોરોનાથી મોત

 

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૩:  ગઇકાલે છેલ્લા ૨૪ કલાકમાં જામનગરની કોવિડ હોસ્પિટલમાં સુત્રોનાથી મળતી માહિતી મુજબ કુલ ૮૩ દર્દીઓના મૃત્યુ થયા જોકે સત્ત્।ાવાર રીતે જામનગર જિલ્લાના ૧૪ મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭૦૭ નોંધાઇ છે.

ગઇકાલે જામનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડેલ યાદી મુજબ શહેરી વિસ્તારમાં ૩૯૮ અને જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૯ મળી જિલ્લામાં કુલ નવા ૭૦૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ દરમ્યાન જામનગર શહેરના ૩૨૯ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૫૬ મળી જિલ્લામાં કુલ ૩૮૫ દર્દીઓ કોરોનાની સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે.

(1:05 pm IST)