કોડીનારમાં ૫૦ બેડનું કોવિડ આઇસોલેસન સેન્ટર
કોડીનાર : સોમનાથ સાયન્સ એકેડેમી ખાતે સેવાકીય પ્રવૃત્ત્િ। ના ભાગરૂપે ૫૦ બેડ નું અટલ કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું આ તકે સંસ્થા ના પ્રમુખ કરશનભાઇ સોલંકી જણાવ્યું હતું કે આ અટલ કોવિડ આઈસોલેશન સેન્ટર મા ગરીબ અને જરૂરિયાતમંદ સામાન્ય કોવિડ લક્ષણો ધરાવતા દર્દીઓ કે જેમને નર્સિંગ સ્ટાફ કે ઓકિસજન કે વેન્ટિલેટર ની જરૂરત નથી,તથા જેમને દ્યરે આઇસોલેશન ની સગવડ નથી, એમને અહીં રહેવાની અને જમવાની નિઃશુલ્ક ઉત્ત્।મ વ્યવસ્થા આપવામાં આવશે. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ માનસિંહભાઈ પરમાર, બચુભાઈ વાજાં, મહામંત્રી ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ વજુભાઈ વાજાં, પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી,સુરસિંહભાઈ મોરી,હરીભાઇ જાદવ, ભરતભાઈ મોરાસીયા, સંજયભાઈ વાળા, મયુરભાઈ વાઢેળ સંસ્થા ના પ્રમુખ કરશનભાઇ સોલંકી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો તેમજ સોમનાથ સાયન્સ એકેડેમી પરીવાર સ્ટાફે હાજરી આપી હતી.