સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd May 2019

નખત્રાણા પંથકમાં ભરબપોરે વરસાદ :ગ્રામ્ય વિસ્તારમાં કરા પડ્યા

ખેડૂતો વાવાઝોડા તથા કમોસમી વરસાદના કારણે ચિંતાતુર

 

કચ્છના નખત્રાણા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભરબપોરે વાતાવરણ પલટાતાં પવન સાથે મોસમ વગર વરસાદ પણ વરસવા લાગ્યો હતો.

 નખત્રાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા રસ્તે જનારા લોકો સહિત સૌ કોઇ પોતાના માટે સલામત સ્થળ શોઘવા લાગ્યા હતા. ખેડૂતો વાવાઝોડા તથા કમોસમી વરસાદના કારણે ચિંતાતુર જણાતા હતા

(10:50 pm IST)