સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd April 2020

મોરબીમાં લોકડાઉનના લિરા ઉડ્યા :નહેરુગેટ વિસ્તારમાં વાહનોની લાંબી લાઈનો લાગી

મોરબી : દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને આજે દશમો દિવસ થયો છે મોરબીના નહેરુગેટ વિસ્તારમાં આજે સામાન્ય દિવસ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી.વાહનોની લાંબી કતારો લાગી હતી.

 લોકડાઉનનું ચુસ્તપણે પાલન થયા તે માટે પોલીસ એક્શન મોડમાં આવી છે અને બિન જરૂરી બહાર નીકળતા લોકો સામે લાલ નાખ કરી વાહન ડીટેઈન કરવામાં અવાય હતા તો પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકો ઘરમાં જ રહે બિન જરૂરી બહાર નીકળશે તો કાર્યવાહી કરવામાં આવશે

(1:45 pm IST)